Sunday, July 13, 2025

Business Purchase Account

 

🧾 What is a Business Purchase Account?

A Business Purchase Account is a temporary nominal account used in accounting when one business acquires another business. It is mainly used to record the total amount paid as purchase consideration for taking over the assets and liabilities of the other business.



🧠 Concept in Simple Words:

When Company A acquires Company B, it pays a certain amount to Company B (in the form of cash, shares, or other means). This amount is called the purchase consideration.

The Business Purchase Account is used to temporarily hold this amount until the purchasing company properly records all the assets and liabilities taken over. Later, this account is closed against the net assets acquired.



📌 When is it Used?

  • In case of amalgamation, absorption, or takeover.

  • To track the purchase consideration paid for acquiring a business.

  • Helps in calculating Goodwill or Capital Reserve.



📊 Accounting Treatment in the Books of the Purchasing Company:

Let’s break it down step-by-step:



✅ Step 1: When Purchase is Made

Journal Entry: 

Business Purchase A/c      Dr.     ₹[Purchase Consideration]

     To Vendor’s A/c                        ₹[Purchase Consideration]

(Being purchase consideration payable for acquisition of business)




✅ Step 2: Recording Assets and Liabilities Taken Over

The company will now record the individual assets and liabilities it is taking over:

Journal Entry:


Land and Building  A/c              Dr

Plant and Machinery  A/c            Dr

Furniture  A/c                            Dr

Fitting  A/c                              Dr

Goodwill  A/c                            Dr

Patents  A/c                                Dr

Closing Stock  A/c                      Dr

Work in progress Stock  A/c        Dr       

Debtors  A/c                              Dr

Cash and Bank  A/c                   Dr

Bills Receivable  A/c                   Dr

Investment  A/c                          Dr

 

To Creditors  A/c

TO Bad Deb Res  A/c

To Bills Payable  A/c

To Bank Loan  A/c

To Worker Saving  A/c

To P.F.  A/c

To Business Purchase  A/c (Purchase Consideration)

To Capital Reserve A/c (if any)       ₹[Balancing Figure]

      




✅ Step 3: Settlement of Vendor’s Account

If the purchase consideration is paid in cash, shares, or debentures, record this:

Example: Payment in Shares Or in Cash:


Vendors A/c                             Dr

Debenture Disc A/c(if Any)        Dr

To Equity Share Capital A/c

To Pref. Share Capital A/c

To Debenture A/c

To Cash or Bank A/c



✅ Step 4: Issues of equity shares at a premium to public


Bank A/c         Dr

            To Equity Share Capital A/c

To Security Premium A/c



✅ Step 5: Unpaid equity shares are forfeited

Equity Share Capital A/c            Dr

            To Forfeited share A/c  

            To Call in arrears A/c  



✅ Step 6:  Transfer the balance of share forfeited ac to capital reserve A/c

Share forfeited A/c   Dr

      To capital reserve A/c  


Wednesday, July 9, 2025

માલિકી ન હોય તેવી વ્યક્તિ દ્વારા વેચાણ

 

ઈતિહાસ: વેચનારનો માલ પ્ર જેવો હક હોય તેવો હક ખરીદનારને આપી શકે બીજા શબ્દમાં કહીએ તો વેચનારને માલ પર જે માલિકી હક્ક હોય તેના કરતા વધારે સારો હક્ક આપી શકે નહિ..

જેમ કે કોઈ મોબાઈલ ચોરનાર વ્યક્તિ બીજાને મોબાઈલ વેચે તો તે મોબાઈલ પરનો માલિકી હક આપી શકતો નથી અને બીજા શબ્દમાં કહીએ તો ખરીદનારને ખામીવાળો માલિકી હક્ક પ્રાપ્ત થાય છે. અહીં ખરીદનાર ભેલે ને તે માલની વર્તમાન બજારકિંમત ચૂકવી હોવા છતાં પણ માલના મૂળ માલિકને તે માલ પાછો આપી દેવો પડે.

કાયદાની કલમ ૨૭ ની જોગવાઈ નીચે મુજબ છે.

૧- જયારે માલનું વેચાણ એવી વ્યક્તિ દ્વારા કરવામ આવે કે જે માલનો માલિક જ ન હોય. ઉદા. ચોરીનો

૨- માલિકની જાણ બહાર અથવા પૂર્વ મંજૂરી લીધા વગર વેચ્યો હોય. ઉદા. નોકર દ્વારા માલનું વેચાણ

૩- વેચનાર કરતા વધુ સારો માલિકી હક્ક મેળવી શકતો નથી. ઉદા. મોબાઈલ-ચોરીનો - મુંબઈની પોલીસ

 અપવાદો:

૧- માલિકની સત્તાથી કે સંમતિથી વેચાણ.

૨- મર્કેન્ટાઈલ એજન્ટ દ્વારા વેચાણ – મર્કેન્ટાઈલ એજન્ટ એવો વ્યક્તિ છે કે જે માલના મૂળધણીની સંમતિથી માલ પોતાના કબજામાં રાખે છે. આમ માલનો ફક્ત કબજો મર્કેન્ટાઈલ પાસે હોય છે પરંતુ માલિકીહક્ક મળતો નથી. છતાં પણ મર્કેન્ટાઈલ એજન્ટ પાસેથી ખરીદનારને માલની માલિકી હક્ક પ્રાપ્ત થયો છે. જેની શરતો નીચે મુજબ છે.

શરત-૧ માલના માલિકીહક્કનાં તમામ દસ્તાવેજ મર્કેન્ટાઈલ એજન્ટ પાસે હોય.

શરત-૨ ખરીદનાર શુદ્ધ દાનતથી વર્તે (એટલે કે એને ખબર ન હોવી જોઈએ કે માલ મર્કેન્ટાઈલ એજન્ટની માલિકીનો નથી)

શરત-૩ કરાર કરતી વખતે વેચનારને માલ વેચવાનો અધિકાર ન હતો તેની જાણ ન હોવી જોઈએ.

ઉપરના તમામ શરતોનું પાલન થયું હોય તો માલ ખરીદનારને કાયદેસરનું વેચાણ મળે છે.

ઉદા. અમૃતલાલ વિ. ભગવાનદાસનાં કેસમાં ઘઉંની ચાર બોરી મર્કેન્ટાઈલ એજન્ટને વેચવા માટે આપી. મર્કેન્ટાઈલ એજન્ટ દ્વારા માલ વેચાણ પછી મળેલ નાણા મૂળ માલિકને અપાયા ન હતા. આ સંજોગોમાં ભગવાનદસે શુદ્ધ દાનતથી માલ ખરીદેલ છે આથી ઘઉંનો માલિકીહક્ક ભગવાનદાસને આપવામાં આવ્યો.

 

૪ - સહમાલિક દ્વારા વેચાણ: જયારે એક વસ્તુમાં એક કરતા વધુ માલિક હોય ત્યારે સહમાલિક દ્વારા જ વેચાણ શક્ય બને છે. જેમ કે સહ્ભાગીદારોમાંથી કોઈ એક ભાગીદાર દ્વરા અન્ય કોઈ ભાગીદારની મંજૂરી મેળવ્યા વગર માલ વેચવામાં આવ્યો હોય અને ખરીદારને શુદ્ધ દાનતથી માલ ખરીદ્યો હોય અને ખરીદનારને એ બાબતની જાણ ન હોય કે માલનો માલિકીહક્ક ફક્ત એક વ્યક્તિનો નથી અથવા માલનો માલિકીહક્ક ખામીવાળો છે.– આ સંજોગોમાં ખરીદનારને કાયદેસર માલિકીહક્ક મળે છે. ઉદા. ઉપર મુજબનું

૫ – રદ થવાપાત્ર કરાર(Avoidable Contract): જયારે કોઈ કરાર શરૂઆતથી જ રદ્દપાત્ર હોય જેમ કે સગીર સાથે કરાર પહેલાથી જ રદ્દપાત્ર છે પરંતુ આ નિયમ આવ્યા પહેલાજ સગીર સાથે કરાર થયેલ હોય તો તે કાયદેસર ગણાશે. ઉદા. જો કોઈ કંપનીમાં નાણા મેનેજરની પોસ્ટ MBA ની લાયકાત ધરાવનાર વ્યક્તિથી જ ભરવી તેવો નિયમ હોય તો નાણા મેનેજર કે હાલમાં કાર્યરત છે તેની પાસે ફક્ત M.COM ની ડીગ્રી છે તો આં સંજોગોમાં નવા નિયમો તેને લાગુ પડી શકે નહિ.

૬ - વેચાણ પછી માલ કબજો ધરાવનાર દ્વારા ફરી બીજી વ્યક્તિને વેચાણ:

મર્કેન્ટાઈલ એજન્ટ દ્વરા માલ વેચાણ કર્યા બાદ ખરીદનારે ડીલીવરી લીધી ન હોય અથવા માલનો કબજો હજી સુધી મર્કેન્ટાઈલ એજન્ટ પાસે હોય અને મર્કેન્ટાઈલ એજન્ટ દ્વારા ફરી કોઈ ત્રાહિત પક્ષકારને માલ વેચાણ કર્યો હોય તો આ સંજોગોમાં શુદ્ધ દાનતથી ખરીદેલ ત્રાહિત વ્યક્તિને સારો માલિકીહક્ક પ્રાપ્ત થાય છે.

૭ – જે વ્યક્તિએ માલ ખરીદ્યો હોય કે ખરીદવાની સમજુતી કરી હોય, માલનો કબજો મળી ગયો હોય પરંતુ માલની માલિકીહક્ક તેને ન મળેલી હોય ત્યારે તે ખરીદનાર વ્યક્તિ બીજા કોઈ વ્યક્તિને માલ વેચે અથવા નિકાલ કરે ત્યારે શુભ દાનતથી ખરીદનાર નિર્દોષ વ્યક્તિ ગણાશે અને તેને સારો માલિકીહક્ક પ્રાપ્ત થશે.

Sunday, July 6, 2025

પાઘડી એટલે શું તેના મૂલ્યાંકનની પદ્ધતિઓ


📘 પાઘડી નો અર્થ

  • પાઘડી એ એક અદ્રશ્ય સંપત્તિ છે, જે ત્યારે ઊભી થાય છે જ્યારે કોઈ કંપની બીજું વ્યવસાય પ્રીમિયમ કિંમતે ખરીદે છે.
  • કંપની પાસે મજબૂત બ્રાન્ડ નામ, સારો ગ્રાહક આધાર, સારી ગ્રાહક સંબંધો, સારા કર્મચારી સંબંધો અને પેટન્ટ હોય તો કંપનીને ઊંચા કિંમતે વેચી શકાય છે.
  • પાઘડી અવાસ્તવિક છે કારણ કે તે ઈમારત કે ફર્નિચર જેવી મિલકતો જેવી દેખાય તેવી નથી.
  • પાઘડી હંમેશાં કંપનીના પાકા સરવૈયામાં “મિલકતો” ના મથાળા હેઠળ દર્શાવાય છે.


📗 પાઘડી કેવી રીતે ગણાય છે?

પાઘડી = ખરીદી કિંમત – દ્રશ્ય મિલકતોનું બજાર મૂલ્ય


📊 પાઘડીના મૂલ્યાંકનને અસર કરનારા મુદ્દાઓ

1️⃣ સારી જાહેર છબી
2️⃣ નિયમિત ગ્રાહકો
3️⃣ ગુણવત્તાવાળી વસ્તુઓ યોગ્ય કિંમતે વેચાણ
4️⃣ વ્યવસ્થાપક કુશળતા
5️⃣ વ્યવસાયનું સ્થાન
6️⃣ પુરવઠાકર્તાઓ સાથે સારા સંબંધો
7️⃣ કર્મચારીઓ સાથે સારા સંબધો તથા કોર્પોરેટ સામાજિક જવાબદારી



📙 પાઘડીનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિઓ

(A) મનસ્વી મૂલ્યાંકનની પદ્ધતિ:


જયારે કંપની પાસે જૂના નફાની માહિતી ઉપલબ્ધ ન હોય અથવા કોઈ જૂની કંપની નવી કંપનીમાં તબદીલ તહી હોય અથવા નવો વ્યવસાય/કંપની વર્તમાનમાં જ શરૂ થયો હોય ત્યારે આ પદ્ધતિ વપરાય છે.

(B) નફા આધારિત પદ્ધતિ:

  • 1️⃣ સરળ નફા પદ્ધતિ:

    • સરેરાશ નફાની અમુક વર્ષોની ખરીદીના આધારે

    • ભારિત સરેરાશ નફાના અમુક વર્ષોની ખરીદીના આધારે

    • મુડીકૃત સરેરાશ નફા પદ્ધતિ

    • વર્ષાસન પદ્ધતિ

  • 2️⃣  અધિક નફાની પદ્ધતિ

📒 સરેરાશ નફા પદ્ધતિનું ઉદાહરણ

  • ઉદાહરણ:
  • X, Y, Z ભાગીદારો  (નફા-નુકશાનનું વહેંચણી= 1:2:3) છે.
  • X નિવૃત્ત થવા જાય છે, પાઘડી 3 વર્ષની ખરીદીના આધારે ગણવાની છે.
  • છેલ્લા 5 વર્ષનો નફો: 2005: 100,000; 2006: 200,000; 2007: 50,000; 2008: 50,000; 2009: 200,000.
    ગણતરી:
  • સરેરાશ નફો = (100,000 + 200,000 + 50,000 + 50,000 + 200,000) ÷ 5 = 120,000.
  • પાઘડી = 120,000 × 3 = 360,000.
  • X નો હિસ્સો (1/6) = 360,000 × 1/6 = 60,000.




🧮 ભારિત સરેરાશ નફા પદ્ધતિ


આ પદ્ધતિ મુખ્યત્વે ત્યારે ઉપયોગી છે જ્યારે કંપનીનો નફો વર્ષે વર્ષે વધતો જાય છે.

📌 ઉદાહરણ:
X, Y, Z એ એક ફર્મના ભાગીદાર છે. નફો-નુક્સાનનું પ્રમાણ 1:2:3 છે.
જો A નિવૃત્ત થવાનો હોય, તો Goodwill નો હિસાબ 3 વર્ષના ભારિત સરેરાશ નફાના આધારે કરવામાં આવશે.

છેલ્લાં પાંચ વર્ષનો નફો:
2005: ₹10,000; 2006: ₹20,000; 2007: ₹30,000; 2008: ₹40,000; 2009: ₹50,000

📌 ઉત્તર:



ભારિત સરેરાશ નફાનું સૂત્ર = કુલ નફો ÷ કુલ વજન
= 5,50,000 ÷ 15 = ₹36,666.67

પાઘડી= ભારિત સરેરાશ નફો × ખરીદીના વર્ષોની સંખ્યા
= 36,666.67 × 3
= ₹1,10,000



📏 વર્ષાસન પદ્ધતિ


આ પદ્ધતિમાં Annuity કોષ્ટક અને છેલ્લાં પાંચ વર્ષનો નફો આપવામાં આવ્યો હોય છે.
ઉદાહરણ તરીકે, ધારો કે Annuity 5 વર્ષ માટે છે અને Annuity ગુણાંક 3.78 છે.

➡️ પ્રથમ સરેરાશ નફો શોધવો:
= કુલ નફો 1,50,000 ÷ વર્ષોની સંખ્યા 5 = ₹50,000

➡️ પાઘડી (Goodwill) = સરેરાશ નફો × Annuity ગુણાંક
= 50,000 × 3.78 (આપેલ)= ₹1,89,000



💹 મુડીકૃત પદ્ધતિ

પાઘડી = મુડીકૃત નફો − ખરેખર રોકાયેલી મૂડી
ખરેખર રોકાયેલી મૂડી = દ્રશ્ય મિલકતો − દ્રશ્ય દેવું


અધિક નફા પદ્ધતિ

પાઘડી (Goodwill) નું મૂલ્યાંકન અધિક નફા (Super Profit) આધારિત હોય છે. એટલે કે ખરેખર મળેલા નફા ઉપર સરેરાશ નફા કરતાં વધુ ભાગ.

અધિક નફો કાઢવા માટે નીચેના પગલાં અનુસરો:

કુલ દ્રશ્ય મિલકતો અને દેવાં શોધવા
રોકાયેલી મૂડી ની ગણતરી કરો:
  સૂત્ર: કુલ મિલકતો – કુલ બાકી જવાબદારી

અપેક્ષિત નફો અને સરેરાશ નફો શોધો:
  📌 અપેક્ષિત નફો = રોકાયેલી મૂડી × અપેક્ષિત વળતર દર
  📌 સરેરાશ નફો = ઇક્વિટી શેરહોલ્ડર્સ માટે ઉપલબ્ધ કુલ નફો ÷ કુલ વર્ષો

અધિક નફો = સરેરાશ નફો – અપેક્ષિત નફો

પાઘડી (Goodwill) = અધિક નફો × ખરીદીના વર્ષોની સંખ્યા


📌 ધ્યાનમાં રાખવાના અગત્યના મુદ્દાઓ

  • અસામાન્ય વર્ષો ધ્યાનમાં લેવા નહિ

  • ખરેખર રોકાયેલી મૂડી ગણતરી વખતે અવાસ્તવિક મિલકતો અને અદ્રશ્ય મિલકતો તથા ઇક્વિટી શેરહોલ્ડરોના ભંડોળો ધ્યાનમાં લેવા નહિ.

Thursday, July 3, 2025

માલની માલિકીની ફેરબદલીના નિયમો

ઈતિહાસ: અહી માલની માલિકી અને માલનો કબજો બંને શબ્દો અલગ અલગ છે. મળી માલની માલિકી એટલે Goods Ownership અને  માલનો કબજો Goods possession થાય છે. હાલમાં Property and Land Acquisition Act આવી ચુક્યો છે.જે અંતર્ગત તમે કોઈ બિલ્ડર પાસેથી મકાન રાખ્યું હોય અને નિશ્ચિત કરેલ સમયમાં અથવા ૨૪ મહિના બંનેમાંથી જે ઓછુ હોય તેના પહેલા બિલ્ડરે Ownership ની સાથેસાથે possession પણ આપી દેવું પડે જો કસુરવાર ઠરે તો ૧૪% લેખે વ્યાજ સહીતની રકમ માટે હાઇકોર્ટ મા અપીલ કરી શકેશે.

 

માલિકીના ફેરબદલીના નિયમો:

(અ) નિશ્ચિત કે મુકરર માલની ફેરબદલી:

૧. જયારે નિશ્ચિત કે મુકરર માલના વેચાણનો કરાર કર્યો હોય ત્યારે વેચાણ કરનાર પક્ષનો જે ઈરાદો હોય તે જ સમયે માલના માલિકીની ફેરબદલી ખરીદનારને મળશે. -કલમ : ૧૯(૧)

ઉદા. વેચનાર પોતાનો માલ રેલ્વે દ્વારા ખરીદનારે મોકલે છે. આ સંજોગોમાં વેચનારનો ઈરાદો એવો હોય કે જ્યાં સુધી ખરીદનાર માલની પુરેપુરી રકમ ના ચુકવે ત્યાં સુધી તેને માલની ખરી નકલ કે પાવતી આપવી નહિ. અહી વેચનારનો ઈરાદો એ છે કે પ્રથમ માલની પુરેપુરી રકમ વસુલ થાય ત્યારે પાવતી આપવી.

 

૨. જો માલ સોંપણીપાત્ર સ્થિતિમાં હોય(In a Deliverable state) અને આવા નિશ્ચિત કે મુકરર માલના વેચાણ અંગે બિનશરતી કરાર કર્યો હોય ત્યારે માલની માલિકી તુરંત જ ખરીદનારને મળે છે. -કલમ : ૨૦

કારણ કે અહી માલ પર બિનશરતી કરાર કર્યો છે અને તેના માટે માલના રૂપિયા તુરંત જ આપવા અથવા ડીલીવરી તુરંતજ લઇ લેવી તેવી કોઈ શરત નથી. આ પ્રકારના કરારમા માલના ખરીદનારને કરારન સમયે જ માલિકી પ્રાપ્ત થાય છે. પછી ભલે ને તે કરાર કિંમત કે ડીલીવરી મોકૂફ રાખે.

ઉદા. રમેશ દ્વારા ૧ સ્કુટર શોરૂમમાં પસંદ કરવામાં આવ્યું અને કરાર સમયે નક્કી કરેલી કિંમત ૧૫ દિવસ બાદ ચૂકવવાનું કબૂલ કર્યું. તો આવા સંજોગોમાં રમેશને તુરંતજ માલની માલિકીહક્ક પ્રાપ્ત થશે. પરંતુ તે ડીલીવરી લેતો નથી. અને કોઈ સંજોગોમાં શોરૂમમાં આગ લાગે અને સ્કુટર ને નુકશાન થાય તો રમેશને ભોગવવાનું થશે. કારણ કે રમેશે ડીલીવરી લીધી નથી અને સ્કુટર સોંપણીપાત્ર સ્થિતિમાં હતું.

૩.  જયારે માલ સોંપણીપાત્ર સ્થિતિમાં ન હોય તેવા નિશ્ચિત માલને સોંપણીપાત્ર સ્થિતિમાં લાવવા માટે વેચનાર કોઈ પ્રોસેસ કરવા બંધાયેલો હોય ત્યારે જ્યાં સુધી માલ તૈયાર અથવા સોંપણીપાત્ર ન બને ત્યાંસુધી માલની માલિકીની ફેરબદલી થતી નથી. --કલમ : ૨૧

ઉદા. રમેશ દ્વારા ઇન્ટેલનું એસેમ્બલ કોમ્પુટરનું ખરીદવાનો કરાર માત્ર તેના બ્રોશર પરથી કર્યું. હવે જ્યાંસુધી કોમ્પુટરના છુટા ભાગોનું એસેમ્બલ કરીને windows 7 ke 10 Install કરવામાં ના આવે ત્યાંસુધી રમેશને કોમ્પુટરની માલિકીહક્ક મળવાનો નથી.

 

૪. જયારે માલ સોંપણીપાત્ર સ્થિતિમાં હોય એવા નિશ્ચિત માલ વેચાણનો કરાર કરાયો હોય, પરંતુ માલની કિંમત નક્કી કરવા ખરીદનારે કે તે માલની ગુણવત્તા, કસોટી કે તોલવાનું કે બીજું કોઈ કાર્ય કરવાનું નક્કી કર્યું હોઉં ત્યારે આવા પ્રકારનું કાર્ય થયા બાદ જ ખરીદનારને માલની માલિકીની ફેરબદલી થશે. કલમ : ૨૨

 ઉદા. બેન્કરે ગીરો મકાન જાહેરમાં બોલી કરીને વેચવા માટે નીકળ્યું છે. રમેશ દ્વારા મકાનની બોલી બોલવા રૂ. ૧૦,૦૦૦ ડી.ડી. મોકલવામાં આવ્યો. રમેશને લાગ્યુ કે મકાનની Base Price 15,00,000 વધુ છે. આથી તેને મકાન ખરીદવાનું ટાળ્યું છે. તો અ સંજોગોમાં બીડર રમેશને મકાન સોંપી શકશે નહિ. 

 

(બ) અનિશ્ચિત કે બિનમુકરર માલની ફેરબદલી:

૧. જયારે અનિશ્ચિત માલના વેચાણનો કરાર કર્યો હોય ત્યારે જ્યાં સુધી માલ નિશ્ચિત ન થાય ત્યાં સુધી ખરીદનારની તરફેણમાં માલની માલિકીની ફેરબદલી થતી નથી. -કલમ : ૧૮

ઉદા. રમેશ દ્વારા ૫ ટન કોઈ એક મિલમાંથી ઘઉં/ચોખા ખરીદવાનો કરાર કરવામાં આવ્યો અહી માલની જાત કે પ્રકાર સુદ્ધા નક્કી કર્યું નથી જેમકે બાસમતી ચોખા કે દેહરાદુન ચોખા. આમ જ્યાં સુધી માલને Identified કરવામાં ના આવે ત્યાં સુધી માલની માલિકીની ફેરબદલી થતી નથી

૨. જયારે અનિશ્ચિત કે ભવિષ્યના માલને વર્ણનથી વેચવાનો કરાર કરવામાં આવ્યો હોય ત્યારે -કલમ : ૨૩(૧)

 

(ક) નિકાલ કરવાનો હક્ક અનામત (Reservation Right of Disposal) :

જયારે માલ વેચવાના કરારમાં એવી શરત હોય કે જ્યાં સુધી ખરીદનાર તરફથી માલની કિંમત પેટે પુરેપુરા નાણા વસુલ ન થાય ત્યાં સુધી માલ નો નિકાલ એટલે કે ડીલીવરી આપવી નહિ. અહી કહેવાશે કે માલ વેચનારે માલ નિકાલ કરવાનો અધિકાર પોતે પોતાની પાસે રાખી મુક્યો છે.

કાયદાની કલમ ૨૫ ની જોગવાઈ નીચે મુજબ છે.

-     શરત નં ૧ નિશ્ચિત માલ વેચાણનો કરાર થયેલો હોવો જોઈએ.

-     શરત નં ૨ અમુક શરતોનું પાલન ન થાય ત્યાં સુધી માલનો નિકાલ કરવાનો હક્ક અનામત રાખી શકે છે.


Tuesday, July 1, 2025

Types of Goods under "The Sale of Goods Act, 1930"



Goods may be classified into three broad categories

1.        Existing goods: (a) Specific or ascertained goods and (b) Non specific or unascertained goods

2.        Future goods; and

3.        Contingent goods

 

1.  Existing goods (Sec. 6): At the time of sales, if the goods are physically in existence and are in possession of the seller, the goods are called ‘Existing Goods’.

               When the goods are in possession of the seller at the time the contract are called existing goods. Existing goods can be classified into ‘specific (Ascertain) goods or non specific (unascertained).’

We now explain each one.  

 

(a)  Specific or ascertained goods Sec 2(14):

Goods identified and agreed upon at the time of the making of the contract of sale are called ‘specific goods’ [Sec. 2(14)]. It may be noted that in actual purchaser and seller both can easily separate their goods.

 

(b) Non specific or unascertained goods:

The goods, which are not separately identified or ascertained at the time of the making of the contract, are known as ‘unascertained goods.’

In this kind of circumstances the buyer has not seen the goods through any catalogue and brochure.

 

Case Study: In the case of Varley v Whipp, Varley agreed to sell to the Whipp a “second-hand self-binder reaping machine", which quite new and used to cut only 50 or 60 acres. When the machine was delivered, Whipp claimed that it did not correspond with the statement. So, the court held that it was a sale of good by description and Whipp have the right to claim.

 

2.  Future goods (Sec. 2{6}): The goods to which are not present and will be manufactured or produced in future. Here possession could not be transferred because seller has not yet.

 

 

3.    Contingent Goods:

Contingent goods are those when certain event or occurrence may or may not happen.

 

Unit 3 Copyright and Patent (Guj. Med.)

  યુનિટ – 2 પેટન્ટ અને કૉપિરાઇટ ભાગ – A : પેટન્ટ અધિકારો પ્ર . 1 : પેટન્ટ પદ્ધતિની ઉત્પત્તિ પેટન્ટની કલ્પના નવી નથ...